Share Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat
Share to email
Share to Facebook
Share to X
By Paurav Shukla
The podcast currently has 392 episodes available.
આ અધ્યાયમાં આપણે શુકદેવજીના પરંગતિ પામ્યા પછી વ્યાસજીના વંશ અને કૃત્યોનું વર્ણન કરીશું.
શુકદેવજીને હજી પણ કેટલાક પ્રશ્નો છે જનકજી સાથે. જીવન મુક્તિ વિશેના. જેના સુંદર જવાબ જનકજી આપે છે. આ સાંભળીને શુકદેવજીના બધા સંદેહ દૂર થાય છે અને તેઓ ગૃહસ્થ આશ્રમમાં સ્થિત થાય છે. ત્યાર બાદ ગૃહસ્થાશ્રમને ભોગવીને શુકદેવજી સંન્યાસ ધારણ કરે છે તેની કથા આપણે આજે સાંભળીશું.
આ અધ્યાયમાં આપણે શુકદેવજીના ગૃહસ્થાશ્રમ તરફના સંદેહ અને જનકજી દ્વારા તેના નિવારણનો સંવાદ સાંભળીશું.
આ અધ્યાયમાં આપણે પિતાના કહેવા બાદ શુકદેવજી જનકજી ની પરીક્ષા કરવા માટે મિથિલા પુર ગયા છે તેની કથા સાંભળીશું. શુકદેવજી અને જનકજીના દ્વારપાળ વચ્ચેનો સંવાદ જેમાં રાગી અને વિરાગી પુરુષમાં શું તફાવત છે તે પણ જાણીશું. અને ત્યાર બાદ શુકદેવજી કેવી રીતે જલકમલવત મહેલમાં પણ રહી શકે છે તે જાણીશું.
આજના અધ્યાયમાં વ્યાસજી આપણને ભગવાન વિષ્ણુ અને દેવી વચ્ચેનો સંવાદ સંભળાવે છે અને તેના દ્વારા શુકદેવજી ને સંદેશ આપે છે કે ગૃહસ્થાશ્રમમાં રહીને પણ, વર્ણાશ્રમમાં રહીને પણ માણસ, દેવી ભાગવત સમજી શકે છે.
જ્યારે વ્યાસજી શુકદેવજીને વર્ણાશ્રમ વિશે સમજાવે છે ત્યારે તેના જવાબમાં શુકદેવજી પોતાના પિતા વ્યાસજીને સંન્યાસ વિશેની વાત કહે છે તેઓ તો સન્યાસી છે. તે સમય તત્ત્વગ્યાનની તલબ લાગેલી હોવાથી શુકદેવજી વ્યાસજી પાસે તત્વનાની.ભિક્ષા માંગે છે. તેના જવાબ વ્યાસજી તેમને દેવી ભાગવત સમજવાની વાત કરેં છે.
આજના અધ્યાયમાં આપણે શુકદેવજી અને વ્યાસજી વચ્ચેનો અદભુત સંવાદ સાંભળીશું, જેમાં આપણે ગૃહસ્થાશ્રમના મહત્વ વિશે સમજીશું.
આજના અધ્યાયમાં આપણે વ્યાસજીને થયેલા પ્રશ્ન દ્વારા પુરુરવા અને ઉર્વશીની કથા સાંભળોશું.
આજના અધ્યાયમાં આપણે ગોપી ગીત અને તેનો મર્મ સાંભળોશું.
ચૈત્રી નવરાત્રિના પવિત્ર પ્રસંગે આજે ગોપીગીતની વાત કરવી છે. એમાં રહેલા જાતજાતની સંવેદનાઓ અને લાગણીઓને સમજવી છે.
The podcast currently has 392 episodes available.