જ્યાં સુધી માણસ સર્જનહારના શિક્ષણને આધીન રહે છે, ત્યાં સુધી જીવન સરળ બની રહે છે. જ્યારે માણસ શિક્ષણને નથી સ્વીકારતો, ત્યારે શિક્ષણનું સ્થાન શિક્ષા લે છે. શિક્ષા સરળ જીવનને પીડા દાયક બનાવે છે. ઈશ્વર એક શિક્ષણની છડીથી દોરે છે. અને જ્યારે માણસ શિક્ષણની છડીને ગણકારતો નથી ત્યારે ઈશ્વર શિક્ષાની લાકડીથી માણસને વારે છે.